new

સરકારી કર્મચારી આનંદોઃ સાતમાં પગાર પંચનો અમલ આવતા વર્ષે

સર્વિસ ટેકસ દર વધીને ૧૪ ટકા નહીં પરંતુ ૧૬ ટકા થશે

સર્વિસના મૂલ્ય પર બે ટકા સ્વચ્છ ભારત સેસ નખાતાં

પાછલા બારણે બે ટકા સેસ નાંખીને સર્વિસ ટેકસના દરમાં ૨૫ ટકાનો વધારો કરી દેવાયો

કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ દેશના કરોડો કર્મચારીઓને રાજી કરી દીધા છે. બજેટની શરૂઆતમાં જ તેમણે એવી જાહેરાત કરી હતી કે, સાતમાં પગાર પંચની ભલામણો આવતા વર્ષથી લાગુ કરી દેવામાં આવશે.  સાતમાં પગારપંચની રચના થઇ ચુકી છે અને વિવિધ કર્મચારી સંગઠનો પણ શું વધારો થવો જોઇએ તેની રજુઆત કરી ચુકયા છે. નાણામંત્રીએ કહ્યુ હતુ કે, સાતમાં પગાર પંચની ભલામણ સ્‍વીકારવાથી સરકારી ખર્ચ વધશે પરંતુ સરકાર તેને પહોંચી વળવા બટીબધ્‍ધ છે. સરકાર પગાર ખર્ચ વધશે તો પણ ખાધ વધે નહી તે માટે આવકના નવાસ્ત્રોત ઉભા કરીને પણ સાતમાં પગાર પંચની ભલામણોને અમલી બનાવશે.

Post a Comment

0 Comments